17 Feb 2017
(ડો. દિગ્નેશ વાછાણી - એમ.બી.બી.એસ., એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગરથી પૂર્ણ કરી હાલમાં મેડિકલ ઓફિસર તરીકે જુનાગઢ જિલ્લામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ લેખનો સમાવેશ 'સ્પંદન ૨૦૦૯' પુસ્તકમાં કરવામાં આવ્યો હતો.)
પ્રાર્થના ન તો ગીતાનો શ્લોક છે.... કે ન કુરાનની આયાત... પ્રાર્થના તો બસ નિ:શબ્દ પુકાર છે.... મનુષ્ય અંતરમનનો.....
પ્રાર્થનામાં અદભૂત શક્તિ હોય છે. પ્રાર્થના ચિંતારૂપી ચિતાને ઠંડી કરી શકે છે, અને પથ્થરને મીણ બનાવી શકે છે, પ્રાર્થના આવનારા તોફાનોને રોકી શકે છે, ડુબતી નૈયાને કિનારે લગાવી શકે છે, પ્રાર્થનાથી ઇચ્છાઓ પૂર્તિ જ નહીં પરંતુ ઇચ્છાઓથી મુક્તિ પણ મળી શકે છે. પ્રાર્થનાથી રોગથી મુક્તિ અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ થઇ શકે છે.
પ્રાર્થના કેવી કરવી ?
પ્રાર્થના હંમેશા એને કરવી જોઇએ, જે આપણાથી થોડા ઘણા આગળ હોય, આપણાથી થોડા ઘણા ઉંચા હોય, જેથી આપણે ત્યાં સુધી પહોંચી શકીએ.
દા.ત. સેલ્ફ - સત્ય, સાક્ષી, ઇશ્વર, ગુરૂ, પ્રકૃતિ, અસ્તિત્વ, અંત:કરણ, શક્તિ
પ્રાર્થનાની સાત જરૂરીયાત ?
પ્રાર્થના એક ન દેખાય તેવી શક્તિ છે જેથી પ્રાર્થના અલગ-અલગ રૂપમાં સામે આવે છે. પરંતુ આપણી કલ્પનાઓ અને આપણી માન્યતાઓને કારણે આ શક્તિને આપણે સમજી શકતા નથી, ઓળખી શકતા નથી. આ કોસ્મીક જગતમાં બધું આપણી માંગણી મુજબનું જ થતું હોય છે. પરંતુ આપણે ઇલ્જામ બીજા પર લગાવીએ છીએ. દરેક માણસ જાણતા કે અજાણતાં પ્રાર્થના કરતો જ રહેતો હોય છે. દરેક શરીર માંથી ઉઠતી માંગ પ્રાર્થના જ હોય છે. દરેક ઇચ્છા દરેક ચાહ માત્ર પ્રાર્થના જ હોય છે. પરંતુ જ્યારે આપણી અલગ-અલગ ઇચ્છાઓમાં તાદત્મય નથી રહેતુ ત્યારે આપણી ઇચ્છાઓ એક બીજાથી વિરૂધ્ધ કામ કરે છે અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે અને આજ સંઘર્ષ આપણા જીવનમાં તણાવ લાવે છે. જ્યારે આ તણાવ વધી જાય છે ત્યારે આપણે તેનો દોષ બીજા પર લગાડીએ છીએ. આપણે એ નથી જાણતા કે આ સંઘર્ષ આપણી જ માંગ જે તેથી પ્રાર્થના કરતાં પહેલા આ માંગ પર વિચાર કરવો. જુઠી માંગણીઓ કેન્સલ કરવી, નવી માંગણીઓ કરી અને આ નવી માંગણીઓ માટે પ્રાર્થનામાં પાયાની જરૂરીયાતો સામેલ કરવી.
૧) પ્રેમ : પ્રાર્થના ઇશ્વર પ્રત્યેનો પ્રેમ છે. પ્રાર્થના કોઇ ક્રિયા નથી, પ્રાર્થના ભાવ છે. પ્રાર્થના ફકત માંગણી નથી પ્રાર્થના છે ‘ધન્યવાદ’ ભાવ.
૨) વિશ્વાસ : આ વિશ્વાસ મોટામાં મોટી તરંગ છે. જેને કારણે પ્રાર્થનાનું ફળ મળે છે. પરંતુ વિશ્વાસ અંધવિશ્વાસ ન બની જાય તે હોવું જરૂરી છે. દા.ત. મંદિરો ઉંચા ટેકરા પર જ હોય જેથી કષ્ટ સહન કરીને મંદિરમાં પુજા કરવાથી વિશ્વાસ જાગૃત થાય.
૩) ભાવ : પ્રાર્થનામાં શબ્દો કરતા પણ ભાવનું મહત્વ વધારે છે. ઘણા માણસો કહે છે કે જેવું કાર્ય કરશો તેવું ફળ મેળવશો. પરંતુ ફક્ત કર્મથી જ ફળ નથી મળતું પરંતુ કર્મ કરતી વખતે જે ભાવ આપણામાં હોય છે, તે મુજબ જ આપણને પરિણામ મળતું હોય છે. દા.ત. કોઇ વ્યક્તિ મોટી રકમનું દાન આપે - પરંતુ દાન આપતી વખતે ભાવ અહંકારનો હોય તો ફળ મળતું નથી.
૪) શુધ્ધતા : જે વસ્તુ માટે તમે પ્રાર્થના કરો છો, તે વસ્તુ તમારા જીવનમાં વધે છે હવે જો તમે બીજાની મદદ માટે પ્રાર્થના કરો તો તમને પણ વધારાની મદદ મળશે. બીજાની માટે પૈસાની પ્રાર્થના કરશો તો તમને પણ પૈસા મળતા રહેશે. બીજાની ખુશી માટે તમે જે પ્રાર્થના કરશો, તે બીજાને મળે કે ન મળે તમને તો ચોક્કસ મળશે જ. બીજાઓ પણ તમારા માટે પ્રાર્થના કરે છે જ તેઓ વિશ્વાસ તમારી અંદર જગાવવો તે શુધ્ધતા છે.
૫) એકાગ્રતા : મંદિરમાં જઇ શિવલિંગ ઉપર દુધ ચડાવો, પરંતુ ત્યારે મનમાં દુકાન, ઘર, ઓફિસની ચિંતા હોય કે વિચાર હોય, ત્યારે તે પ્રાર્થના, પ્રાર્થના નથી રહેતી. આ તો એક પથ્થર, બીજા પથ્થર પર દુધ રેડે છે. એટલે કે પ્રાર્થના કરતી વખતે, કર્મની સાથે મન થોડું વર્તમાનમાં હોય તો પરિણામ ચોક્કસ મળે છે.
૬) સમજ : મોટા ભાગના લોકો પ્રાર્થનામાં ફક્ત કલ્પનાઓ જ કરતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે. માટે પ્રાર્થનાની સાચી સમજ હોવી જરૂરી છે.
૭) ધીરજ : પ્રાર્થનામાં ધીરજ હોવી જોઇએ. સમજપૂર્વકની પ્રાર્થનામાંથી જે તરંગો નીકળે છે તે ઇચ્છીત વસ્તુને તમારા તરફ આકર્ષીત કરે છે. તે વસ્તુ તમારા તરફ આવવા ગતિ કરે છે. પરંતુ વચમાં જો તમે પ્રાર્થના બંધ કરી દેશો તો ઇચ્છીત વસ્તુ વચમાં જ અટકી જશે.
પ્રાર્થનામાં શું રૂકાવટ કરે છે?
પ્રાર્થનામાં પાંચ વસ્તુ કાયમી રૂકાવટ કરે છે. ૧) ડર ૨) માન્યતા ૩) અહંકાર ૪) કલ્પના ૫) અનુમાન
એક અત્યંત જ્ઞાની વ્યક્તિની પ્રાર્થના કેવી હોય ?
જ્ઞાની વ્યક્તિની પ્રાર્થના કંઇક આવી હોય શકે કે, ‘હે ઇશ્વર ત્રણ બાબતો માટે મને માફ કરજે.’
૧) પહેલી એ વાત માટે માફ કરજે, કે હું કાશી ગયો, કાબા ગયો, દરેક તીર્થસ્થાને ગયો એ જાણવા છતા કે તું તો દરેક જગ્યાએ છે, છતા હું તને ત્યાં શોધવા ગયો, માટે મને માફ કરજે.
૨) બીજી એ વાત માટે માફ કરજે કે હું બહુ જ રોયો, બહુ જ પ્રાર્થનાઓ કરી, એ જાણવા છતા કે તને અમારી બહુ જ ફીકર છે.
૩) ત્રીજી એ વાત માટે માફ કરજે કે ઉપર મુજબ મેં માફી માંગી, એ જાણવા છતા કે ભુલ કરતા પહેલાં જ તું માફ કરી દે છે.
આખો દિવસ પ્રાર્થનામય કેમ બને ?
૧) સવારે ઉઠીને : હે ઈશ્વર ! એક નવો દિવસ દેખાડવા બદલ ધન્યવાદ. માણસ બનવાનો એક વધારે મોકો આપવા બદલ ધન્યવાદ. હે ઈશ્વર! આજે મંદિર (શરીર) છ વાગ્યે ખુલ્યું. આ મંદિર આખો દિવસ સાફ અને પવિત્ર રહે એવા આર્શિવાદ આપ, ધન્યવાદ.
૨) દિનચર્યા શરૂ કરતા પહેલા : હે ઇશ્વર ! મને એ સમજ આપ કે હું કંઇ વસ્તુઓને બદલી શકું છું. અને કઇ વસ્તુઓને બદલી નથી શકતો. જે વસ્તુઓને હું બદલી શકું તેમ છું તેને બદલવા માટે મને શક્તિ આપ, અને જે વસ્તુઓને હું બદલી શકું તેમ નથી તેને સહન કરવાની ધીરજ આપ, ધન્યવાદ.
૩) જમવાનું બનાવતા પહેલા : જે જમવાનું હું બનાવવા જઇ રહી છું તે ખાનાર દરેક વ્યક્તિનું શરીર સ્ફુર્તિમય અને સ્વાસ્થ્યયુક્ત રહે. તેમનું શરીર ચૈતન્યથી ભરપુર રહે. આ જમવાનું જમનાર દરેક શરીર હંમેશા ઇશ્વરની ઉચ્ચતમ અભિવ્યક્તિ કરે, ધન્યવાદ.
૪) જમતા પહેલા : એ ખેડુત જેણે અનાજ ઉગાડયું, એ પ્રકૃતિ જેણે વરસાદ અને તડકો આપ્યા, એ વ્યક્તિ જેણે અનાજ વહેંચ્યું, એ નોકર જેણે અનાજને ઘર સુધી પહોંચાડયું, એ વ્યક્તિ જેણે રસોઇ બનાવી અનાજને પકાવ્યું. આ સર્વેનો ધન્યવાદ. હે ઇશ્વર ! તને ધન્યવાદ. તે મને ભૂખ લગાડી.
૫) રાત્રે સુતી વખતે : હે ઇશ્વર ! તે મારો આજનો દિવસ પરીપુર્ણ બનાવ્યો, હવે મારી રાત પણ ઉત્કૃષ્ટ રીતે વિતાવજે. આ કૃપા માટે ધન્યવાદ.
૬) નવું કામ કરો ત્યારે : હું ઇશ્વરનું સંતાન છું. મારી સફળતા નિશ્ચિત છે.
૭) ડર લાગે ત્યારે : હું ઇશ્વરનું સંતાન છું. કોઇ ખરાબ શક્તિ મને અડી પણ શકે નહીં.
ચાર શબ્દોની મોટામાં મોટી પ્રાર્થના. “હે ઇશ્વર ! તમારો ધન્યવાદ !”
If you are a creative medical / paramedical student or practitioner and want to explore & share your talent with the world, we heart
Read More »We at Spandan offer you to get your Advertisement published in our yearly Book "Spandan". We accept all type of advertisements, Be it Display, App
Read More »Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. nulla pariatur.
Read More »SUCCESS :
Bindiya Patel7 years ago
nice